દિયોદર તાલુકાના વખા ગામ ના યુવાનોએ કોરોના વચ્ચે બાબારામ દેવ પીરના ના દર્શન કર્યા

દિયોદર,

સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે, ત્યારે જેમાં બનાસકાંઠા જિલ્લામાં સુપ્રસિદ્ધ ગણાતું યાત્રાધામ અંબાજી ધામમાં મેળો બંધ રાખવામાં આવ્યો છે અને લાખો ભક્તો ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે. જેમાં રાજસ્થાન માં આવેલ બાબા રામદેવપીર મંદિર ખાતે પણ ભક્તો એ આ વખતે પગપાળા ના બદલે બાઇક અથવા સાધનો જઈ દર્શન કર્યા હતા. દિયોદર ના વખા ગામ ના ભક્તો એ રામદેવપીર મંદિર જઇ દર્શન કર્યા હતા. ભક્તો એ જણાવેલ કે દર વર્ષે અમો પગપાળા જઇ એ છે. જેમાં આ વખતે કોરોના વાઇરસ ના કારણે મેળો રદ કરવામાં આવ્યો છે પરંતુ અમો એ આ વખતે બાઇક પર જઈ દર્શન કર્યા છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment